Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

આર્થિક ભીંસથી કંટાળી વંથલીના સાંતલપુરના યુવાનનો આપઘાત

જુનાગઢ, તા. ૭ : જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે રહેતો મુકેશ હરેશભાઇ પરમાર નામનો યુવાન જુનાગઢના આંબાવાડી ખાતેના હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતો હતો.

પરંતુ મંદીને લઇ હીરાનું કારખાનું બંધ થઇ જતાં મુકેશભાઇ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. આથી કંટાળી જઇ મુકેશ પરમારે ઝેરી દવા ગટગટાવીને મોતને મીઠુ કરી લીધુ હતું.

વંથલી પોલીસે મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:03 pm IST)