Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જસદણ વિંછીયા પંથકમાં ર૦ નવેમ્બરથી ૩૦ જુન સુધી ધૂમ લગ્નગાળો

જસદણ, તા. ૭ : જસદણ વિંછીયા પંથકમાં તા. ર૦ નવેમ્બરથી ૩૦ જૂન સુધી લગ્નના મુર્હતો હોય તે અનુસંધાને વાડીઓ, ગોર મહારાજ, મંડપ ડેકોરેશન, કેટરેસ, ફોટો વિડીઓગ્રાફરોને બુકીંગ પણ થઇ ગયું છે. ગત દિવાળીમાં વેપારીઓને ઘરાકી ઓછી રહી હતી, પરંતુ આગામી લગ્નશાળાને ધ્યાનમાં રાખી વેપારીઓ ઘરાકીની આશા સેવી રહ્યા છે. આ પંથકમાં પ્રેમીઓને કમુરતા પણ નડયા નથી પણ વડીલોએ ગોઠવેલ સગાઇનું રૂપાંતર લગ્ન માટે આગામી સમયમાં ઘણા મુર્હતો હોવાથી હાલ લગ્નોત્સવ પરિવારમાં જોરદાર તૈયારી થઇ રહી છે.

(12:53 pm IST)