Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વિંછીયામાં વેપારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ દોઢ લાખની રોકડ ચોરી ગયા

 જસદણ તા.૬: વિંછીયામાં વેપારીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી દોઢ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વીંછીયાની આથમણીબારી અંબાજી મંદિર પાસે રહેતા અને શાકભાજી કમિશનનો ધધો કરતા સંજયભાઇ મગનભાઇ ધોરીયાના બંધ મકાનમાં રહેલ પટારાનો તાળાવાળો નકુચો તોડી કોઇ અજાણ્યા શખ્સો એમાં રહેલાં રૂપિયા દોઢ રૂપિયા રોકડા અને બકાલાના બિલ અને ચોપડા લઇ ગયાની ફરિયાદ સંજયભાઇએ નોંધાવતા વીંછીયા પોલીસે અજાણ્યા શખ્સો સામે ૪૫૪-૩૮૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ એમ.જે.પરમારે હાથ ધરી છે.(

(11:26 am IST)