Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જામજોધપુરમાં જલારામ જયંતીની ઉજવણી

જામજોધપુરમાં જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવેલ. સવારે પૂ.બાપાની આરતી પૂજન તેમજ અન્ન્કોટના દર્શનનો કાર્યક્રમ રાખેલ હતો. બપોરબાદ શોભાયાત્રા નિકળેલ જે શહેરના મુખ્યમાર્ગ પર ફરી જય જલીયાણના નાદ સાથે ફરી હતી. જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇ સોઢા ભાજપ અગ્રણી તેમજ લોહાણા સમાજના આગેવાન ચીમનલાલ અશાણી, રમેશભાઇ રાયઠઠ્ઠા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ મુનાભાઇ ચોટાઇ સહિતના વ્યકિત જોડાયા હતા અને શોભાયાત્રા બાદ મહાઆરતી યોજાઇ હતી. આ પ્રસંગે પુર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઇ સાપરીયા, નવા ધારાસભ્ય ચિરાગભાઇ કાબરીયા ઉપસ્થિત રહેલ

(11:22 am IST)