Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબીમાં મુખ્યમંત્રી રૂપાણી સામે કાળા વાવટા ફરકાવીને એનએસયુઆઇ કરશે વિરોધ પ્રદર્શન

ખેડૂતોને પાકવીમો; બેરોજગારી સહિતના મુદ્દે વિરોધ કરશે

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે મોરબી આવી રહયા છે ત્યારે કોંગ્રેસ એનએસયુઆઇ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે.

               એનએસયુઆઇ મુજબ દરેક સરકારી ભરતી પ્રક્રિયામાં કોઈ ને કોઈ કારણોસર યુવાનો ને હેરાન પરેશાન કરવામાં આવે છે ખેડૂતોને પાક વીમો મળેલ નથી તે બાબતે.,ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી તેમની ઘોર મશ્કરી કરી.,બેરોજગાર યુવાનોને રોજગારી મળેલ નથી.તેમજ નોકરી-ધંધામાં લોકોને નુકસાન થઈ રહ્યું છે.

              દરેક આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો કાલે સવારે ૧૦ વાગ્યે હાજરી આપી વિરોપ્રદર્શનમાં હાજરી આપે તેવી કોંગ્રેસ-એનએસયુઆઈ દ્વારા અપીલ કરવામાં આવી છે

(8:23 pm IST)