Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સમીસાંજે બોટાદના વાતાવરણમાં પલટો કલમેઘલા સહિતના ગામોમાં ભારે વરસાદ

વરસાદ વરસતાં ખેડૂતોને પાકમાં નુકશાન જાય તેવી ભીતિ

બોટાદ : મહા વાવાઝોડાની અસરને પગલે સમીસાંજે બોટાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો રાજકોટ,જામનગર ,અમરેલી અને ભાવનગર જિલ્લાની સાથે બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.

  વાવાઝોડાના પગલે બોટાદના કલમેઘળા સહિતાના ગામોમાં ભારે વરસાદ વરસતાં ખેડૂતોને પાકમાં નુકશાન જાય તેવી ભીતિ છે. જિલ્લામાં ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં કપાસ વાવ્યો હોવાથી તેને પારાવાર નુકશાન જાય તેવી શક્યતા છે.

(9:52 pm IST)