Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દ્વારકામાં પરિણીતા ભારતીબેન ગોહેલના આપઘાતનું રહસ્ય અકબંધ

 ખંભાળીયા, તા. ૭ :. દ્વારકામાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા પરિણીતા ભારતીબેન દિલીપભાઈ ગોહેલ (ઉ.વ.૩૫)ના ઘરે કોઈ પણ કારણોસર આગ લાગતા દાઝી જતા સારવાર દરમિયાન મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર ગોરીજા ગામ પાસે રેલ્વે ટ્રેક પર કોઈ અજાણ્યો યુવાન (ઉ.વ.૨૦) વાળો ટ્રેનમા કપાઈ જતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ખંભાળીયા જામનગર રોડ પર ૨ કિ.મી. દૂર રેલ્વે ટ્રેક પર એક યુવાન પ્રવિણ ડોરૂ (ઉ.વ.૨૩) રહે. ખંભાળીયાવાળા કોઈ કારણોસર ગઈ સાંજે ૭ વાગ્યાના સુમારે પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા આ યુવાનના હાથ કપાઈ જતા સારવાર અર્થે ખસેડવામા આવેલ વધુ તપાસ રેલ્વે પોલીસે હાથ ધરી છે.

વિજ થાંભલાને હડફેટે લીધો

દ્વારકાના વરવાળા ગામે આવેલ સરકારી હોસ્પીટલ વિસ્તારમાં એક ટ્રક નં. જીજે ૦૩ બીવી ૨૬૪૯ના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવી ટ્રક ઉપર કાબુ ગુમાવતા રોડ પર રહેલ પી.જી.વી.સી.એલ.ના થાંભલા સાથે ભટકાડી થાંભલા તોડી નાખી ઉપર રહેલ ઈલેકટ્રીક વાયર તોડી નાખી વીજ કંપનીને રૂ. ૪૩૩૦૬ નુકસાન કરી થાંભલાની બાજુમા ઉભુ રહેલ ટ્રેકટર પર થાંભલો પડતા ટ્રેકટરમાં રૂ. ૧૮ હજારનું નુકસાન પહોંચાડયા બાદ આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી જતા ટ્રક ચાલક વિરૂદ્ધ વીજ કંપની અધિકારી દીપેશભાઈ અરિલાએ ટ્રક ચાલક વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)