Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગોંડલના શ્રીનાથગઢમાં વિંછી કરડતાં છ વર્ષના હિતેષનું મોત મુળ મધ્યપ્રદેશનો પરિવાર દિકરાના મોતથી શોકમાં ગરક

રાજકોટ તા. ૭: ગોંડલના શ્રીનાથગઢ ગામે હરેશભાઇ કુરજીભાઇ વસોયાની વાડીમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદેશના માલસિંગ જોમરાનો પુત્ર હિતેષ (ઉ.૬) સાંજે સાતેક વાગ્યે વાડીના મકાનમાં હતો ત્યારે વિંછી કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને મોકલ્યા હતાં. મૃતક બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:01 pm IST)