Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જામનગરમાં હિન્દુ સમાજની દીકરીને લલચાવી ફોસલાવી વિધર્મી યુવક ઉઠાવી જતા હિન્દુ સંગઠનો અને પીડિત પરિવાર દ્વારા એસપીને આવેદન : તાત્કાલિક ધોરણે લવજેહાદ અંગેની કલમ સાથે એફઆઇઆર કરીને દીકરીને પરત લાવવા અને કાઉન્સિલિંગ કરવાની માગણી

જામનગર::જામનગરમાં હિન્દુ સમાજની દીકરીને લલચાવી ફોસલાવી વિધર્મી યુવક દ્વારા લઈ જવામાં આવી છે અને નિકાહ કરવા માટેની અરજી કરવામાં આવી છે જેને લઈને નોટીસ પીરિયડ દરમિયાન જામનગરના તમામ હિન્દુ સંગઠનો અને પીડિત પરિવાર એસપી ઓફિસે આવેદનપત્ર પાઠવા પહોંચ્યો છે અને તાત્કાલિક ધોરણે લવજેહાદ અંગેની કલમ સાથે એફઆઇઆર દીકરીને પરત લાવવામાં આવે અને કાઉન્સિલિંગ કરવાની માગણી કરવામાં આવી રહી છે. છેલ્લા એક કેટલાક સમયથી લવ-જેહાદના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ અંગે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ પણ જે સંડોવાયેલા હોય તેમની સામે પણ પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.(અહેવાલ ;મુકુંદ બદિયાણી , તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(3:03 pm IST)