Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કેજરીવાલ બીલકિસબાનું વિષે એક પણ શબ્દો નથીં બોલ્યા; મુસ્લિમોએ તેની વાતમાં ન આવવું; ઈકબાલ ગોરી

સાવરકુંડલાતા.૭:  કેજરીવાલ  ની લોભામણી વાતો થી મુસ્લિમ સમાજ દૂર રહે બીલકિસબાનું  વિશે એક પણ શબ્દો નથી બોલતા કોના થી ડરે છે  તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલ ગોરીએ જણાવેલ હતું

આ અંગે ઈકબાલ ગોરી એ જણાવેલ  કે અરવિંદ કેજરીવાલ મુસ્લિમો ને મોંઢુ આપતા નથી  ગુજરાતમાં જેટલી વાર આવ્યા ત્યારે એક પણ વાર મુસ્લિમ વિસ્તારમાં નથી ગયા બીલકિસબાનું વિષે એક પણ શબ્દો નથી બોલ્યા તો કોના થી ડરી ને ન બોલ્યા ? તેમજ ગુજરાત માં એની સાથે એના સ્ટેજ પર કોઈ મુસ્લિમ આગેવાન ને બેસાડતા નથી એ પણ કોના કહેવા થી ?  મુસ્લિમો ની અવગુણા કરવા માં આવે છે અને આવું જોતા  મુસ્લિમો ને ટીકીટ આપશે એ પણ નક્કી નથી છતાં પણ મુસ્લિમો એની પાછળ ફ્રી ની લાલચ માં ગાંડા થાય છે  મુસ્લિમ મુકત વિધાનસભા બનાવવા ની ભાજપ ની  મેલી મુરાદ પાર પાડવા કેજરીવાલ ની મુક સંમતિ છે એટલે આમ તો એવું લાગે છે કેજરીવાલ નું નિશાન જાડું કેસરી જાડું હોય તેવું લાગી રહ્યું છે એટલે  કેજરીવાલ હોય ભાજપ હોય એ મુસ્લિમો ની હિત વાતો કરો તેવી લાલચ આપતી ભાજપ વાળા કે કેજરીવાલ ની વાતો બિલકુલ સાંભળવી નહીં તેમ અંત માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના મહામંત્રી ઈકબાલ ગોરી એ જણાવેલ હતું.

(1:41 pm IST)