Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જસદણમાં આરએસએસ દ્વારા વિજયાદશમીના પાવન દિવસે પથ સંચલન

આટકોટ : જસદણમાં આરએસએસ દ્વારા શહેરના અનેક વિસ્‍તારોમાં વિજયાદશમીના પાવન દિને પથ સંચલન કરવામાં આવ્‍યું હતું. જેમાં જસદણની ડીએસવીકે હાઈસ્‍કૂલથી સરદારચોક, વેકરીયાચોક, મફતિયાપરા, વાજસુરપરા, જુના બસસ્‍ટેન્‍ડ થઈને શહેરની મેઈન બજારમાં પથ સંચલન કરવામાં આવ્‍યું હતું. આ તકે જસદણ તાલુકાના આરએસએસના સ્‍વયંસેવકો દ્વારા પંથ સંચલન બાદ શષા પૂજન પણ કરવામાં આવ્‍યું હતું. જસદણ શહેરમાં છેલ્લા ૧૦ વર્ષથી આરએસએસ દ્વારા વિજયાદશમીના દિવસે પથ સંચલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુમાં જે વિસ્‍તારમાંથી આરએસએસના સ્‍વયંસેવકો પથ સંચલન કરીને પસાર થતા હતા ત્‍યાં લોકો તેમને ફૂલોથી વધાવી રહ્યા હતા.( તસ્‍વીરઃ કરશન બામટા આટકોટ)

(1:32 pm IST)