Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જૂનાગઢમાં સિધ્‍ધી વિનાયક ગરબી મંડળ દ્વારા નવરાત્રી ઉજવાઇ

 જૂનાગઢ : સિધ્‍ધી વિનાયક સોસાયટી ગરબી મંડળ ખલીલપુર રોડ જોષીપુરમાં દર વર્ષે માં નવદુર્ગા માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેના આયોજન કર્તા સંચાલક ભીખુભાઇ ગજેરા, મથુરભાઇ રાણોલીયા, ગોવિંદભાઇ કીયાડા, અશોકભાઇ કાકડીયા, હરેશભાઇ ગોંડલીયા, અરવિંદભાઇ બાબરીયા વગેરે કાર્યકર્તાઓના સાથ સહકારથી આયોજીત થાય છે. જેમાં અંદાજે ૭૨ દિકરીઓએ ભાગ લીધો હતો. ઘણા મહેમાનોએ આ ગરબીની મુલાકાત લીધેલ હતી. જેમાં જુનાગઢ વિસ્‍તારના ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, મેયર ગીતબેન પરમાર, ગીરીશભાઇ કોટેચા, સામાજીક આગેવાન અજીતસિંહ વાંક, તેમજ મહાનગરપાલિકાના સ્‍થાયી સમિતીના ચેરમેન હરેશભાઇ પરસાણા, ગોપાલભાઇ રાખોલીયા, શાંતાબેન મોકરીયા, જ્‍યોતીબેન વાછાણી, ભાવનાબેન હીરપરા,  કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલનો સમાવેશ થાય છે. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી, જૂનાગઢ)

(11:51 am IST)