Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગોંડલના ગુણાતીત નગરમાં શીતળા માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

ગોંડલ  : જય જગદીશ્વર મહાદેવ મંદિર  ખાતે સ્‍વ.વિઠ્ઠલભાઇ રાદડિયા તથા સર્વે  પિતળઓના મોક્ષાર્થે અંદાજીત ૭ લાખના ખર્ચે ૭૦૦થી વધુ કબૂતર રહી શકે તેવું કબૂતરધર તથા મંદિર પરિસરમાં શીતળા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધ્‍વી ગિરજાગીરી માતાજી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે કબૂતરઘરનું ઉદ્ધાટન રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ બેન્‍કના ડિરેક્‍ટર  લલિતભાઈ રાદડિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.આ કાર્યક્રમ વિઠ્ઠલભાઇ રાદડિયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ સાટોડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્‍યો હતો અને આ પ્રસંગે ગોંડલ જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ રૈયાણી, ગોંડલ નાગરિક બેન્‍કના ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડ ડિરેક્‍ટર ગોપાલભાઈ શીંગાળા,તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ હિરેનભાઈ બાલધા, શાસક પક્ષના નેતા કૌશિકભાઈ પડાળીયા, વિઠ્ઠલભાઇ રાદડિયા સહકારી મંડળી, ગોંડલ જૂથ સહકારી મંડળીના ડિરેક્‍ટરો અને ગુણાતીત નગરના લોકો  ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : જિતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(11:41 am IST)