Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વનથળધામના સંતશ્રી પુરૂષોત્તમલાલજી મહારાજ કાલે સાંજે રાજકોટમાં: સત્સંગ

સાંજે ૬ વાગ્યે નાના મવા રોડ સૂર્યમુખી હનુમાનજી મંદિરે સામૈયા બાદ રાજનગર કોમ્યુનિટી હોલ ખાતે સત્સંગ અને પ્રસાદ

રાજકોટ તા.૭: વિરમગામના નળસરોવર નજીક આવેલા વનથળધામના સંત બાલબ્રહ્મચારી પ.પૂ. પુરૂષોત્તમલાલજી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે જ્યોતિરથનું આયોજન કરવામાં આવે છે.  સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ પરિભ્રમણ કર્યા બાદ આ જ્યોતિરથનું આવતીકાલે તા. ૮ના રવિવારે સાંજે છ વાગ્યે રાજકોટ શહેરમાં આગમન થશે.

નાના મવા રોડ પર સુર્યમુખી હનુમાનજી મંદિર ખાતે સંતશ્રીના સામૈ્યા થશે. ત્યારબાદ રાજનગર-૧ કોમ્યુનિટી હોલ ખાતે સત્સંગત અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે શિષ્ય મંડળ તથા ભકતજનોએ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી તા. ૧ થી ૩ ડિસેમ્બર સુધી ગુરૂ ઋણમુકિતનું મહાપર્વ પણ ઉજવવામાં આવશે. આ ઉપરાંત મહારાજશ્રીના શતાબ્દી મહોત્સવ નિમીતે સેવાલીયામાં ૧૨૧ કુંડી શ્રી મહારૂદ્રી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હાલમાં જયેતિરથ રાજ્યભરમાં અલગ-અલગ શહેરો, ગામોમાં પરિભ્રમણ કરી રહ્યો છે.

(1:15 pm IST)