Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગારીયાધાર પંથકના પાલડી અને વદરના રસ્તા ઉપર લૂંટના ઇરાદે તાર બાંધેલા મળી આવતા ફફડાટ

ગારીયાધાર તા. ૭ :.. તાલુકાના પાલડી વદર ગામ વચ્ચેના ડામર રોડ પર લૂંટના ઇરાદાથી બાંધવામાં આવેલા. આડા તાર મળી આવતા રાત્રીના ગ્રામજનો ભેગા થયા હતાં.

વિગતો અનુસાર ગારીયાધાર પંથકના રૂપાવટી ગામના પાંચ સાધુ સમાજના શખ્સો સ્નેહીજનના ભંડારો પુર્ણ કરી પરત ઘરે ફરી રહયા હતા. ત્યારે માર્ગમાં પાલડી-વદર વચ્ચે લૂંટના ઇરાદાપૂર્વકના નવા રસ્સી તારનાં વાપરો આડા-દેખી જતા ત્રણેય ટુ વ્હીલર ચાલકો માંડ માંડ બચ્યા હતાં.

રાત્રીના ૯ વાગ્યાના સમયે બનેલા આ બનાવના પગલે સાધુ સમાજના આ શખ્સો દ્વારા પાલડી ગામના સરપંચ અને આગેવાનોને ફોન કરી તાત્કાલીક બોલાવી લેવાયા હતાં.

પાલડી ગામના રપ થી ૩૦ લોકો આવીને સમગ્ર ઘટના અને રસ્તા પર લોકોને આંતરી લેવા માટે આંડા બાંધેલા તાર જોઇ સૌ કોઇ સ્તબ્ધ બની ગયા હતાં. જયારે આ તાર બાંધવામાં આવેલા સ્થળ પણ અવાવરૂ હોવાથી કોઇપણ જાણભેદુ દ્વારા લૂંટના ઇરાદાપૂર્વક આ તાર બાંધવામાં આવતા હોય તેવું જણાવ્યું હતું.

જયારે ઘટના બાબતે પાલડી સરપંચ દ્વારા ગારીયાધાર પોલીસને જાણ કરી દેવાઇ હતી. જેમાં પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરી દેવામાં આવી હતી.

(11:47 am IST)