Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ચોટીલાનાં તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

તળાવની વચ્ચે તરતો મૃતદેહ, લોકોના ઉમટેલ ટોળા તસ્વીરમાં નજરે પડે છે

ચોટીલા, તા.૭: ગામનાં પાદરમાં જલારામ મંદિર સામે આવેલ તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળતા લોકો ટોળે વળેલ પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરેલ છે.

ચોટીલાનાં પાદરમાં રાજકોટ હાઇવે ઉપર આવેલ તળાવમાં દુર્ગંધ મારતા કોઇ શખ્સનો મૃતદેહ ઉધો પડેલ હોવાની પોલીસને જાણ થતા લાશને સેવાભાવી તરવૈયાની મદદ થી બહાર કાઢવામાં આવેલ હતો અને તળાવમાં મૃતદેહ પડેલ હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોનાં ટોળા જોવા માટે ઉમટેલ હતા મૃતકની ઉમર આશરે ૫૫ વર્ષ ની છે જેણે ડાર્ક બ્લુ કલરનું પેન્ટ અને શર્ટ પહેરેલ છે મૃતદેહ પાણીને કારણે સાવ કોહવાય ગયેલ છે પ્રાથમિક અનુમાન આશરે ત્રણેક દિવસ પહેલા મરણ પામેલ હશે તેવુ લાગે છે.

મરણજનારની કોઇ ઓળખ થઈ શકે તેવી કોઇ વસ્તુ હાથ લાગેલ નથી.

મૃતક અને મોતનું કારણ પોલીસ માટે કોયડો બનેલ છે પ્રથમ લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેમજ મરનાર ની ઓળખ મેળવવા તળાવની આસપાસ તપાસ હાથ ધરેલ છે.

તળાવમાંથી નિકળેલ લાશ ટોક ઓફ ધ ટાઉન બનેલ છે ત્યારે મરનાર કોણ મોત કેમ થયુ તે અંગે પોલીસે તપાસનાં ચક્રો ગતિેમાન કરેલ છે.

(4:11 pm IST)