Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વેરાવળ ટાવર ચોક બગીચામાંથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો : ઝેરી દવા પી આપઘાત

વેરાવળ તા.  ૭ : ડાભોર રોડ ઉપર દ્રારકેશ પાર્ક માં રહેતા અને ભીડીયા વિસ્તારમાં વેપાર કરતા વેપારી તા.૬ ના રોજ બપોરે થી ગુમ થયેલ હતા જેનો રાત્રે બગીચામાંથી મૃતદેહ મળી આવેલ હતો. આ વેપારીએ ઝેરી દવા પી આપધાત કરેલ હતો. પોલીસે જણાવેલ હતું કે જીઆઈડીસી ભીડીયા વિસ્તારમાં સુકકી મચ્છીના વેપાર કરતા જયેશભાઈ કાનાબાર તા.૬ ના રોજ બપોર થી કોઈને કહયા વગર ઘરેથી નિકળી ગયેલ હોય તે સંાજ સુધી ન મળતા પરીવાર મીત્ર મંડળમાં જાણ કરતા ચારેય બાજુ શોધખોળ ચાલુ કરેલ હતી રાત્રે ૯ વાગ્યાના અરસામાં તેમનો મૃતદેહ ટાવર ચોક બગીચામાં પડેલ હોય તે જાણ થયેલ હતી જેથી પી.એમ માટે ખસેડેલ ત્યાં ડોકટરે ઝેરી દવા પી જતા મૃત્યુ પામેલ હોય તેવી જાહેરાત કરેલ હતી.

જાણવા મળતી વિગત મુજબ આ વેપારીપાસે પૈસાની લેતીદેતીમાં અનેક લોકો દુઃખ ત્રાસ આપતા હોય અને પૈસા માટે હેરાન કરતા હોય જેથી આ આપઘાત કરેલ હોય તેવું જાણવા મળેલ છે જેથી પોલીસે આ દિશા માં તપાસ હાથ ધરેલ છે. આ બનાવ બનતા લોહાણા સમાજ તેમજ વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરેલ છે.

(4:09 pm IST)