Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મોરબીમાં શીતળા મંદિરે ભકતોની ભીડ

મોરબીઃ શીતળા સાતમ નિમિતે શીતળા માતાજીના મંદિરે ભકતોની ભીડ જામી હતી. હાલ તહેવારોની મોસમ જામી છે અને સૌરાષ્ટ્ર પંથકમાં રાંધણ છઠ્ઠથી તહેવારનો માહોલ જોવા મળેલ. શીતળા સાતમનાં દિવસે શહેરના દરબાર ગઢ નજીક આવેલા મંદિરે ભકતોની ભીડ જામી હતી મોરબીમાં પ્રાચીન એવા શીતળા મંદિરે દર્શન કરવા સવારથી ભકતોનો ઘસારો જોવા મળ્યો હતો બાળકોમાં થતા ઓરી, શીતળા જેવા રોગો સામે રક્ષણ આપતી શીતળા માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા અને બાળકોને દર્શન કરાવવા મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી તો વળી મોરબીનું મંદિર પ્રાચીન હોય જેની સુવાસ દુર દુર સુધી ફેલાયેલી હોય જેથી મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભકતોનો મેળાવડો જોવા મળ્યો હતો તે તસ્વીર.(૨૩.૨)

 

(12:31 pm IST)