Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પૂ.હરિરામ બાપાનાં જન્મોત્સવની સોૈરાષ્ટ્ર-કચ્છમાં ભવ્યતાથી ઉજવણી

રામધુન, હનુમાન ચાલીસા,સુંદરકાંડ, પુજન-અર્ચન, પ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

જસદણ તા.૭: જેમના નામનું સ્મરણ થતાં રૂવાડે-રૂવાડે માનવતા છવાઇ જાય એવા જસદણના દિવંગત સંત શ્રી પ.પૂજય શ્રી હરિરામ બાપાના આજે શુક્રવારે સવારથી જ ધાર્મિક કાર્યક્રમો સાથે ૮પમાં જન્મ દિવસની ઉજવણી થઇ હતી.

ઈસ્વીસન ૨૦૧૪માં અમરેલીના નાગનાથ મંદિરમાં દેહ છોડનાર હરિરામ બાપા વિદ્યાર્થીકાળથી જીવનના અંત સુધી રામનામ અને ભુખ્યાને ભોજન પૂજયશ્રી જલારામ બાપાના પગલે ચાલ્યા હતા. આજે પણ તેમણે સ્થાપેલા અન્નક્ષેત્રોમાં હજારો લોકોને વિનામુલ્યે ભોજન મળી રહયું છે. અને દેશનાં વિવિધ શહેરોમાં રામનામની આહલેક સંભળાય રહી છે.

સંતપુરુષ હરિરામબાપાએ પોતાના જીવનમાં પૈસા અને અનુયાયીઓને સ્થાન કયારેય આપ્યું નથી. આજે તેમના ૮૫માં જન્મદિવસે રામધુન, હનુમાન ચાલીસા, પુજન-અર્ચન, પ્રસાદ, શોભાયાત્રા, સુંદરકાંડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભાવિકો દ્વારા યોજાયા હતા.

જસદણ પંથકમાંથી રામનામની આહલેક અને ભુખ્યાજનોને ભોજન માટે દેશના અનેક પ્રાંતો શહેરો સુધી લઇ જનારા અને પૂ. જલારામ બાપાના પગલે ચાલી પુણ્યનું ભાથું બાંધનારા પૂ. હરિરામ બાપાનો ૮૫મો જન્મદિન હોવાથી જસદણ, ઘેલા સોમનાથ, આટકોટ, નાગપુર, સાવરકુંડલા જેવા સોૈરાષ્ટ્રના અનેક ગામોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

૨૮ ડિસેમ્બર ૨૦૧૪માં અમરેલી ખાતે દેહ વિલય પામનારા સંત શ્રી હરિરામબાપાએ વિદ્યાર્થી અવસ્થાથી માંડી જીવનના અંત સુધી ફકત રામનામ અને  ભુખ્યાને ભોજનને પોતાનો જીવનમંત્ર બનાવી આશ્રમોની સ્થાપ્ના અને કોઇને પણ અનુયાયીઓ બનાવ્યા વગર નાત-જાત-જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લોક ભલાઇના કાર્યોમાં અગ્રેસર રહયા હતા.

મહામાનવે સ્થાપેલ અન્નક્ષેત્રોમાં જસદણ આટકોટ, નાગપુર સહિત અનેક ગામોમાં હજારો લોકો વિનામુલ્યે ભોજન લઇ રહયા છે. ખાસ કરીને તેમને માનનારા ભાવિકો પણ ગરીબો જરૂરીયાતમંદોને જમણા હાથે આપી ડાબા હાથન ખબર પડવા દેતા નથી.(૧.૮)

(12:20 pm IST)