Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભાવનગરના પાલીતાણા અને ગારીયાધારમાં દોઢ ઇંચ: વલભીપુરમાં એક ઇંચ: તળાજા અને સિહોરમાં અડધો ઇંચ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. આજે રવિવારે પાલીતાણા અને ગારીયાધારમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે વલભીપુર માં એક ઇંચ અને શિહોર તથા તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
આજે સવારના 6 થી સાંજના 6  દરમિયાન ભાવનગરના ઉમરાળામાં 3 મી.મી,.ગારીયાધાર માં 33 મી.મી.,જેસરમાં 2 મી.મી., પાલીતાણા માં 40 મી.મી.,વલભીપુર માં 33 મી.મી. અને સિહોરમાં 14 મી.મી વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની ઝડપ 14 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(6:48 pm IST)