Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમરેલી શહેરના જેશીંગપરા, રામપરા વિસ્તારના નવા રામજી મંદિરે રામધુનનો પ્રારંભ : વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ શ્રી રામધુન ની રમઝટ બોલાવી

રાજકોટ તા.૭

અમરેલી શહેરના જેશીંગપરા, રામપરા વિસ્તારના નવા રામજી મંદિરે રામધુનનો પ્રારંભ થયો છે વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ શ્રી રામધુન ની રમઝટ બોલાવી હતી.

૮ મા વાર્ષિકોત્સવ નિમિત્તે અખંડ રામ ધૂન જાપ  તેમજ ગૌમાતાને લીલો ચારો અને કૂતરાને લાડુ તેમજ પક્ષીઓ ને ચણ તેમજ બાળકોને અલ્પાહારની પ્રસાદી સાથે તા.૬/૮/૨૦૨૨ શનિવારે સવારે ૫ કલાકે પ્રારંભ કરાયો છે. જેમાં અમરેલી ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી હાજર રહ્યા હતા.

જય શ્રી રામની ધૂનની તેઓએ રમઝટ બોલાવી હતી

(1:47 pm IST)