Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબી અને વાંકાનેરમાં કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા : ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી શહેર અને જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૩ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

  મોરબીમાં નવા કેસોમાં મોરબીના વાઘપરા શેરી નં ૦૯ માં રહેતા ૫૦ વર્ષના મહિલા, વાવડી રોડ સોમૈયા સોસાયટીના રહેવાસી ૪૨ વર્ષના પુરુષ, મોરબીના શક્તિ પ્લોટ મહાવીર પેલેસના રહેવાસી ૪૧ વર્ષના પુરુષ, શક્તિ પ્લોટ 2 માં રહેતા ૩૯ વર્ષના પુરુષ, મોરબીના ૩૧ વર્ષના પુરુષ, પારેખ શેઈરના ૫૦ વર્ષીય પુરુષ, કુબેરબાગના ૬૭ વર્ષની મહિલા, ઓમ પાર્કના ૫૫ વર્ષીય મહિલા, રોયલ પાર્ક નવલખી રોડના ૬૦ વર્ષના મહિલા, વાંકાનેરના હસનપરના રહેવાસી ૨૮ વર્ષીય મહિલા, મોરબીના વજેપર ૧૨ માં રહેતા ૩૨ વર્ષના પુરુષ, ઋષભનગર મોરબી-2 માં રહેતા ૮૯ વર્ષના પુરુષ અને વસંત પ્લોટ જયદીપ પાઉભાજી વાળી શેરીમાં રહેતા ૬૪ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

   શુક્રવારે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે નવા ૧૩ કેસો સાથે કુલ કેસનો આંક ૪૫૦ થયો છે જેમાં ૧૫૩ એક્ટીવ કેસ, ૨૬૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે કુલ ૩૪ દર્દીના કોરોનાને પગલે મૃત્યુ થયા છે.

(12:19 am IST)