Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જેતપુરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો

એસબીઆઇ બેન્કના મેનેજર અને શહેરના ત્રીજા ડોકટરને પણ કોરોના પોઝીટીવ

જેતપુર તા. ૭ :.. શહેરમાં કોરોનાનો કહેર બેફામ વધતોજાય છે દિવસે દિવસે કેસોની સંખ્યા વધતી જાય છે. કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ. એસ. બી. આઇ.  બેંકના બ્રાંચ મેનેજર હિમાંશુભાઇ શર્માનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ સ્ટાફના અન્યના સેમ્પલ લેવાતા તેમાંથી ર કર્મચારી હર્ષભાઇ દલાલ ઉ.૪ર અને ડી.પી. ચુડાસમા ઉ.૪૮ રે. બન્ને ક્રિષ્ના પાર્ક સોસા. જુનાગઢ રોડનો પોઝીટીવ રીપોર્ટ આવતા બેંક ચાર દિવસ સોમવાર સુધી બંધ રાખવામાં આવશે. ઉપરાંત શહેરના ત્રીજા ડોકટર બાબુભાઇ ઉકાભાઇ ખૂંટ (ઉ.૬પ) રહે. દેસાઇવાડી વાળાનો પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કે જો ડોકટર દરજજાના વ્યકિતને કોરોની પોઝીટીવ આવતો હોય તો સામાન્ય માણસ તેનાથી કેમ બચી શકશે.

તાલુકાના જેતલસર જંકશન ગામે રહેતા સતારભાઇ ઇકબાલભાઇ બેલીમ (ઉ.૬૯) ને બે દિવસ પહેલા કોરોના લક્ષણો દેખાતા ડોકટરે તેને રાજકોટ રીપોર્ટ કરવા મોકલેલ જયાં તેનો પોઝીટીવ રીપોર્ટ આવતા સારવાર માટે સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ તેનું આજરોજ  મોત થયેલ તેમને ડાયાબીટીસ અને બી. પી. ની પણ બીમારી હતી. સતારભાઇ જેતલસર જંકશનમાં રેલ્વે નિવૃત કર્મચારી હતી.

(1:12 pm IST)