Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સોમનાથ ખાતે સ્વસહાય જુથની મહિલા માટે સંમેલન યોજાશે

ગીર સોમનાથ, તા.૭: મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત સોમનાથ સ્થિત શ્રીરામ મંદિરના ઓડીટોરીયમ હોલમાં સવારે ૧૦ કલાકે સ્વસહાય જુથની બહેનો માટે સંમેલન યોજાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વેરાવળ-પાટણ નગરપાલીકા દ્રારા આયોજીત મહિલા સંમેલન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને યોજાશે.

આ પ્રસંગે નગરપાલીકના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી પ્રીતીબેન પરમાર, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી પુજાબેન બામણીયા, સા.ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિરણબેન સોસા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મંજુબેન સોલંકી ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સંજય મોદી, ચીફ ઓફિસરશ્રી જતિન મહેતા અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેશે.(૨૩.૬)

(12:06 pm IST)