Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

તાલાળા પંથકમાં મળી આવેલ મૃતદેહની ઓળખ આપવા અનુરોધ

ગીર સોમનાથ, તા.૭: તાલાળા પંથકમાં નદીના પાણીમાંથી તા.૨ ઓગસ્ટના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીરના ભાગે ઇજા થયેલ છે. આ અજાણ્યા પુરુષની ઉંમર આશરે ૩૦ થી ૩પ વર્ષ હોવાની સાથે તેમના વાલીવારસાની અત્યાર સુધી ઓળખ થયેલ નથી. જેથી અજાણ્યા પુરુષની ઓળખ આપવા લોકોને અનુરોધ કરાયો છે. તેમજ ટેલીફોન નં.૦૨૮૭૭-૨૨૨૨૩૩ પર જાણ કરવા તાલાળા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.(૨૩.૬)

(12:05 pm IST)