Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

દેલવાડા-વેરાવળ-જુનાગઢ લોકલ મીટર ગેજ ટ્રેન શરૂ કરવા ગીર ગઢડા ચેમ્બરની રજૂઆત

ઉના તા. ૭ :.. ગીર ગઢડા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશકુમાર ગાંધી ત્થા ઉપપ્રમુખ અનિલભાઇ વિઠલાણીએ ભાવનગર રેલ્વે ડીવીઝન જનરલ મેનેજરશ્રી ને લેખીતમાં રજૂઆત કરી છે. કે ગત જૂલાઇ માસમાં ભારે વરસાદથી મીટર ગેજ ટ્રેકનું ધોવાણ થવાથી દેલવાડા-વેરાવળ-દેલવાડા - જુનાગઢ લોકલ ટ્રેન બંધ કરી દેવાઇ છે.

હાલ વરસાદ નથી ત્થા ટ્રેકનું ધોવાણ પણ નહીંવત છે. તેથી યુધ્ધનાં ધોરણે રીપેર કરી ચાલુ કરવી આ ટ્રેન શરૂ થાય તો ઘણા ગામોનાં લોકોને વેરાવળ-જુનાગઢ જવા અનુકુળ હતી. ભાડુ ઓછુ હતું હાલ ખાનગી વાહન એસ. ટી. બસમાં ઉંચા ભાડા ચુકવી જવુ પડે છે. શ્રાવણ માસ પણ શરૂ થતાં હોય સોમનાથ-વેરાવળ જવા અનુકુળ હોય તુરંત ટ્રેન શરૂ કરવા માંગણી કરી છે.

(12:03 pm IST)