Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ભાવનગરનાં કરજાળામાં ૪ વર્ષના બાળકને દિપડાએ ફાડી ખાધો

ઘરની ખુલ્લી ઓરડીમાં સુતેલા નયન કનુભાઇ બારૈયાને નિશાન બનાવ્યો

ભાવનગર તા. ૭ :.. ભાવનગર જીલ્લાનાં જેસર તાબેનાં કરજાળા ગામે દીપડાએ ચાર વર્ષનાં માસુમ બાળકને ફાડી ખાતા ગામમાં ભારે ભય સાથે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. ભાવનગર જીલ્લાનાં જેસર પંથકમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે અને છાશવારે દીપડો ગામમાં પણ ઘુસી આવે છે. દરમ્યાન જેસર તાલુકાનાં કરજાળા ગામે રહેતા કોળી કનુભાઇ રાઘુભાઇ બારૈયાનો પરિવાર રાત્રે ઘરની ઓસરીમાં સુતા હતા ત્યારે મોડી રાત્રે દીપડો ગામમાં ઘુસી આવ્યો હતો અને ઘરની ખુલ્લી ઓસરીમાં સુતેલા કનુભાઇ બારૈયાનાં ૪ વર્ષ નાં માસુમ પુત્ર નયન ને ઉપાડી તેનો શિકાર કરતાં આ માસુમ બાળકનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.

આ બનાવથી ગ્રામ્યજનોમાં ફફડાટ ભયની લાગણી ફેલાઇ ગઇ હતી અને માસુમ બાળકનો શિકાર થતાં લોકોમાં શોક ફેલાયો હતો. બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ સવારે દોડી આવ્યો હતો.(પ.૧૧)

(10:51 am IST)