Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીના જલારામ મંદિરે આયોજિત નિશુલ્ક નેત્રમણી-નેત્રકેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમા નેત્રમણી કેમ્પ યોજાયો

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા) પરિવારના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમા નેત્રમણી કેમ્પ યોજાયો હતો

  આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૨  સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૯૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૯૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યા હતા. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૩૪૯૦લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૫૫૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૧૯૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૯૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા મા આવ્યા

(10:42 am IST)