Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પોરબંદરમાં ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય કરનારા સામે પગલા લેવા રાજપુત સમાજની માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : રાજપુત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆતમાં ક્ષત્રિય સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય કરનારા સામે પગલા લેવાની માંગણી કરી હતી.

રાજપુત સમાજ દ્વારા કલેકટરને કરેલી રજુઆતમાં ૩ પોલીસ કર્મચારીઓ દ્વારા કરેલ ક્ષત્રિય સમાજની ધાર્મિક લાગણી દુભાવવાના કૃત્યને વખોડી કાઢેલ છે. રાજપુત સમાજના યુવક અજયસિંહના ઘરમાં સાદા ડ્રેસ અને ખાનગી વાહનોમાં અને ઘરમાં પ્રવેશની મંજુરી વિના ઘુસી જઇને શકિત સ્થાનકમાં રાખવામાં આવેલ તલવારો લઇ ગયેલ અને અજયસિંહને પોલીસ ચોકીએ બોલાવી તેને ખોટા ગુન્હામાં ફીટ કરવા ખોટી કાર્યવાહી કરી હેરાન પરેશાન કરેલ હોય. આ હકીકત સીસીટીવી ફુટેજને ધ્યાને લઇને ધોરણસરની કાર્યવાહી કરવા રાજપુત સમાજે કલેકટરને કરેલ રજુઆતમાં માંગણી કરીને દોષિતો સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

(12:55 pm IST)