Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

તમારા પત્નિના હાથના રોટલા બહુ ખાધા છેઃ નરેન્દ્રભાઇએ નારણભાઇ કાછડીયાને ફોન કરીને સંસ્મરણો વાગોળ્યા

રાજકોટ તા. ૭ :.. અમરેલીના ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયાના પત્નિ મુકતાબેનનું સોમવારે અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાંસદ નારણભાઇ કાછડીયા સાથે ટેલીફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

નરેન્દ્રભાઇ મોદીએ કહયું હતું કે, મુકતાબેનના હાથના રોટલા અમરેલી અને દિલ્હીમાં બહુ ખાધા છે. બેનનો સ્વભાવ ધાર્મિક અને લાગણીશીલ હતો. તેમના અવસાનથી બહુ મોટી ખોટ પડી છે.

નારણભાઇ કાછડીયાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, અગાસી ઉપરથી મારા પત્નિ  પડી ગયા અને તેમનું દુઃખદ અવસાન થયાની થોડી મીનીટોમાં જ નરેન્દ્રભાઇ મોદીએ ફોન કરીને સાંત્વના પાઠવી હતી.

આ ઉપરાંત અમિતભાઇ શાહ, મનસુખભાઇ માંડવીયા, પરસોતમભાઇ રૂપાલા તથા મારા સાંસદ સાથીદારોએ પણ સાંત્વના પાઠવી હતી.

જયારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા રાજયના મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને ભાજપના તથા વિપક્ષના હોદેદારોએ પણ સાંત્વના પાઠવી હતી.

નારણભાઇ કાછડીયાએ વધુમાં જણાવ્યુ કે, મારા ઘરે આવેલ ભાજપના આગેવાનો, કાર્યકરો જમવાના સમયે આવે તો મારા પત્નિ જમાડયા વગર મોકલે જ નહીં અને ચા-પાણી નાસ્તો પણ કરાવતા હતાં.

(12:53 pm IST)