Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જામનગરના પૂ. જયોતિમાલાશ્રીજી કાળધર્મ પામ્યા : બપોરે પાલખી યાત્રા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : વાગડ સંપ્રદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલાપ્રભ સુરી મ.સા. ના આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંત ચંદ્રલતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી  પૂ. જ્યોતિમાલાશ્રીજી સવારે પોપટ ધારસી ર્બોડિંગ ઉપાશ્રય મધ્યે નવકાર મંત્રનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા છે. આજે સવારે ૫.૩૦ વાગ્યે પૂ. જ્યોતિમાલાશ્રીજી કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે.

અંતિમવિધિ માટે ઉછામણી બપોરે ૩.૦૦ કલાકે રાખેલ છે. અને તેમની પાલખી યાત્રા બપોરે ૪.૦૦ વાગ્યે ર્બોડિંગ ઉપાશ્રય થી નીકળશે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(3:03 pm IST)