Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દિલીપકુમાર સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા : ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયક ને હૃદયની શ્રદ્ધાંજલિ અર્પતા પૂ.મોરારિબાપુ

રાજકોટ તા૭, પૂ. મોરારીબાપુએ જણાવ્યું છે કે વ્યક્તિગત રીતે મારા માટે આદરણીય અને પરમ સ્નેહી શ્રી. દિલીકુમાર સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા. 

વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહયો છું. ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયક ને મારી હૃદયની શ્રદ્ધાંજલિ.એમનાં નિર્વાણ ને મારાં પ્રણામ. આદરણીયા સાયરાજીની સેવાને પણ સલામ તેમ રામ સ્મરણ સાથે પૂ.મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

(12:12 pm IST)