Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારોની વરણી-યુવા પાંખની પણ રચના કરાય

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૭ :.. વાંકાનેરમાં ગાત્રાળ રોડ ઉપર આવેલ કૈલાસ આશ્રમ ખાતે વાંકાનેર શહેર - તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મીટીંગ આશ્રમના સ્થાપક શાસ્ત્રી પ્રભુલાલ પંડયાના અધ્યક્ષ સ્થાને મળેલ.

આ બેઠકમાં બ્રહ્મસેના સૌરાષ્ટ્રના કન્વીનર ભરતભાઇ ઓઝા, રજનીભાઇ રાવલ, નિષીતભાઇ જોષી, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝા સહિતના મંચસ્થ અગ્રણીઓએ કાર્યક્રમના પ્રારંભે કોરોના કાળમાં મૃત્યુ પામેલા સમસ્ત બ્રહ્મ સમાજના લોકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. બાદમાં જ્ઞાતિમાં શિક્ષણનું સ્તર ઉચુ લાવવા, જરૂરીયાતમંદ બ્રહ્મ પરિવારને આગળ લાવવા તેમને મદદરૂપ થવા સહિતની ચર્ચા-પ્રવચન બાદ વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝાએ અને મંચસ્થ અગ્રણીઓએ તૈયાર કરેલ કારોબારીના નામની જાહેરાત કરેલ. પ્રમુખપદે જયેશભાઇ ઓઝા, ઉપપ્રમુખ પદે રાજેશભાઇ મઢવી (એડવોકેટ એન્ડ નોટરી) અને મંત્રીપદે અશોકભાઇ જોષી તેમજ કારોબારીમાં સુરેશભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ ઉપાધ્યાય, સંજયભાઇ લહેરૂ, પુષ્કરભાઇ ત્રિવેદી, જયેશભાઇ મહેતા, પ્રમોદભાઇ અત્રી અને મુકેશભાઇ પંડયાની વરણી કરવામાં આવેલ.

આજ રીતે યુવા પાંખના પ્રમુખપદે દુષ્યંતભાઇ ઠાકર, ઉપપ્રમુખપદે પ્રવિણભાઇ દાદલ અને મંત્રીપદે પ્રિયંકભાઇ રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જેને ઉપસ્થિત સર્વેએ વધાવી હતી. અને શુભેચ્છાઓ આપી હતી.

(11:36 am IST)