Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામજોધપુરમાં દોઢ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર ઝાપટા

બપોરે ૧ર વાગ્યાથી અમરેલી, ભાવનગર જીલ્લામાં વરસાદ નથીઃ મેઘાવી માહોલ યથાવત

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘાવી માહોલ બરકરાર રહ્યો છે આજે બપોરના ૧ર થી ર દરમિયાન જામનગર જીલ્લાના જામજોધપુર માં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે લાલપુરમાં ૧, જામનગરમાં પોણો ઇંચ તથા કાલાવડ, જોડીયા, ધ્રોલમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

આ ઉપરાંત જુનાગઢ જીલ્લાના વંથલીમાં  અડધો ઇંચ તથા કેશોદ, જુનાગઢ, મેંદરડા, માંગરોળ, માણાવદરમાં હળવા ભારે ઝાપટા પડયા છે.

આ ઉપરાંત કચ્છના અબડાસામા અડધો ઇંચ, ભચાઉ, અંજાર, માંડવી, લખપતમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

જયારે મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા મિંયાણા, ઉપલેટા, જસદણ, ધોરાજીમાં હળવા ભારે ઝાપટા પડયા છે.

બપોરે ૧ર થી ર દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે.

જામનગર જીલ્લામાં તથા ઘેડ પંથકમાં જોરદાર વરસાદ પડયો છે.

(4:02 pm IST)