Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે બે પરપ્રાંતીય લોકો ના જીવ બચાવ્યા : ગામના આગેવાન મુળરાજસિહ બલવિરસિહ જાડેજાએ માનવતાની મહેક પ્રસરાવી

સિએમઓ ઓફિસ ગાંધીનગરના ત્વરિત આદેશથી એનડીઆરએફ ટીમે બન્ને લોકોને રેસકયુ કર્યા

ધ્રોલ તાલુકામા અનરાધાર વરસાદ પડવાથી નથુવડલા ગામે વાડી વિસ્તારમાં પાણી ફરી વળતા બે મજુરો ફસાયેલા હતા. તેની જાણ ગામના આગેવાન મુળરાજસિહ બલવિરસિહ જાડેજા ને થતા સ્થાનિક પ્રસાશન, ધ્રોલ મામલતદાર, પીએસઆઇ તેમજ કલેકટર કચેરી જામનગર ને કરી હતી પણ ઝડપથી બચાવ કામગીરી ન થતા આખરે સિએમઓ ઓફિસ ગાંધીનગર ને જાણ કરતા તાત્કાલિક એનડીઆરએફ ટીમ આવી રેસકયુ કરી બે લોકો ના જીવ બચાવ્યા હતા.

(1:36 pm IST)