Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નજીવા ઝઘડામાં સુરતમાં 12 શખ્સો બાખડતાં એકનું મોત

 સુરત:પાંડેસરા ડી-માર્ટ નજીક મણિનગર સોસાયટીના મેઇનરોડ ઉપર ગત રવિવારે મોડીરાત્રે બેફામ રીક્ષા ચલાવતા ચાલકને ઠપકો આપવા બાબતે થયેલા ઝઘડામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતાં  પાંડેસરા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના મઉનો વતની અને સુરતમાં પાંડેસરા બમરોલી રોડ રિધ્ધિસિધ્ધી સોસાયટી પ્લોટ નં. ૯૯માં રહેતો તેમજ કડીયાકામ કરતો વીરબહાદુર મુલઇ ચૌહાણ ગત રવિવારે રાત્રે ૧૦-૧૫ કલાકે તેની સાથે રહેતા પ્રદીપ ઓમપ્રકાશ ગૌડ (ઉ.વ. ૨૦) સાથે ડી-માર્ટની સામે મણિનગર સોસાયટીના મેઇનરોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે પાંડેસરા કૈલાશનગર વિભાગ-૩માં તેના ભાઇની ઘરની બાજુમાં રહેતો સૂરજ યાદવ એક રીક્ષામાં ગાયનો ચારો લઇ જતો હતો.
જો કે, તે બેફામ ચલાવતો હોવાથી વીરબહાદુરે તેને ધીરે ચલાવવા કહેતા સૂરજ યાદવને ખોટું લાગતા તેણે ગાળો આપી હતી અને પોતાની સાથેના સંતોષ યાદવ, અલ્પેશ ઉર્ફે પંડિત તિવારી, સોનું તિવારી સાથે મળી વીરબહાદુર અને પ્રદીપ ગૌડ ઉપર હુમલો કર્યો હતો. બંનેને બચાવવા વીરબહાદુરનો ભાઇ શ્રીરામ, મનોજ,  ભત્રીજો જામવન ચૌહાણ, રાજેશ ચૌહાણ, અખિલેશ રાય વચ્ચે પડતાં તેમને પણ માર મરાયો હતો.

(4:48 pm IST)