Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વાંકાનેરના ખખાણાના જીજ્ઞેશ થોરીયા ઉપર સુર્યરામપરામાં ધોકા-પાઇપથી હુમલો

અગાઉના મનદુઃખનો ખાર રાખી અશોક કોળી સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૭: વાંકાનેરના ખખાણા ગામે રહેતાં જીજ્ઞેશ કનૈયાલાલ થોરીયા (ઉ.૨૦) નામના કોળી યુવાનને તે કુવાડવાના સુર્યરામપરા ગામે ગયો ત્‍યારે જુના મનદુઃખને લીધે અશોક છગનભાઇ ગોધાણી (કોળી), અજય અશોકભાઇ ગોધાણી, સંજય સંગ્રામભાઇ ગોધાણી અને ડાયા બાબુભાઇ ગોધાણી સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

જીજ્ઞેશના પિતા કનૈયાલાલ લીંબાભાઇ થોરીયાએ જણાવ્‍યું હતું કે જીજ્ઞેશ અગાઉ ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતો હતો. ચાર મહિના પહેલા અકસ્‍માત નડયો હોઇ પગ ભાંગી ગયો છે. જેથી હાલમાં આરામ પર છે. અમારી જીમીન સુર્યરામપરામાં હોઇ ત્‍યાંનું લીલુ વેંચાયુ હોઇ તેના પૈસા લેવા જીજ્ઞેશને ત્‍યાં મોકલ્‍યો હતો. અશોક કોળી સાથે જુનું મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના હરેશભાઇ રત્‍નોતરે કુવાડવા પોલીસને જાણ કરતાં પીએસઆઇ વી. પી. આહિર અને મહાવિરસિંહે ફરિયાદ નોંધી છે. જયેશના બાઇકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

(12:09 pm IST)