Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વડિયા એડવોકેટની બેંક ઓફ ઇન્ડિયામાં પેનલ એડવોકેટ તરીકે નિમણુંક

વડીયા તા.૭ : સામાજીક અગ્રણી અને જાણીતા એડવોકેટ ભીખુભાઇ વોરાની રાષ્ટ્રીયકૃત બેંધ બીઓઆઇમાં પેનલ એડવોકેટ તરીકે નિમણુંક કરાઇ છે. આ નિમણુંકથી બેંકના કસ્ટમર્સને તેમની સેવા અને અનુભવનો બહોળો લાભ મળશે. વડીયા તાલુકાના આગેવાનો તથા વેપારીઓ, સંસ્થાઓ વગેરેએ તેમની નિમણુંકને આવકારી છે.

વડીયાના ભીખુભાઇ વોરા યુવા વયથી જ સામાજીક સેવાના કાર્યો દ્વારા લોકહિતની કામગીરી સાથે સંકળાયેલા છે. તેઓ સ્વૈચ્છિક સંસ્થા પણ ઘણા સમયથી ચલાવે છે અને રાજકીયક્ષેત્રે સુવાસ મેળવી હોવાથી તેમણે વડીયા પંથકમાં ચાહના મેળવી છે.

લોકકાર્યો થકી વડીયા તાલુકા તેમજ સમસ્ત અમરેલી જિલ્લામાં સારી એવી શાખ ઉભી થવાના કારણે તેમને એક વધુ ક્ષેત્રમાં સેવા અનુભવનો લાભ મળશે. ભીખુભાઇ વકીલાતના ઘણા સમયથી પ્રેકટીસ કરી રહ્યા હોવાથી તેમની બીઓઆઇ પેનલમાં એડવોકેટ તરીકે નિમણુંક કરવા માટે અહીના અગ્રણીઓ પ્રયાસો કરતા હતા.

આથી આખરે તેમની બીઓઆઇના પેનલ એડવોકેટ તરીકે નિમણુંક કરવાનો સતાવાર ઓર્ડર ઇસ્યુ કરાયો હતો. આ ઓર્ડરને પગલે વડીયા પંથકમાં ખુશાલી છવાઇ ગઇ છે.

(11:53 am IST)