Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વાંકાનેરમાં પૂ.રણછોડદાસજી બાપુના આશ્રમમાં કાલે સુંદરકાંડ સમુહપાઠ

વાંકાનેર તા.૭ : રાજકોટ રોડ ઉપર અનંત વિભૂષિત સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજ સ્મૃતિ મંદિર સદગુરૂ આનંદ આશ્રમ ખાતે દર શનિવારે રાત્રે સમુહ હનુમાન ચાલીસાના પાઠ નિયમીત કરવામાં આવે છે.

પૂ. રણછોડદાસજી બાપુના સાનિધ્યમાં કાલે તા.૭ને શનિવારે રાત્રે ૯ થી ૧૨ સુધી રાજકોટના પ્રસિધ્ધ કલાકારો કે જેઓ કરણસિંહજી બાલાજી સુંદરકાંડ પરિવારના સર્વે ભાઇઓ આવતીકાલે શનિવારે રાત્રે વાંકાનેર આશ્રમ ખાતે પધારશે અને મહંત શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરૂ સ્વામી પ.પુ.શ્રી હરિચરણદાસજી મહારાજના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન શ્રી રામચંદ્રજી, હનુમાનજી મહારાજ અને મોટા ગુરૂદેવને સમુહપ્રાર્થના સાથે સમુહ સુંદરકાંડના પાઠ કરવામાં આવશે.

સર્વે શિષ્ય પરિવારો, ગુરૂભકતો અને ભાવિકોને પધારવા અને સમુહ સુંદરકાંડના પાઠનો લાભ લેવા ટ્રસ્ટીશ્રીઓ અને મંદિરના પુજારી શ્રી તિવારીબાપુએ નિમંત્રણ સાથે યાદીમાં જણાવ્યું છે.

(11:48 am IST)