Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મેંદરડા પંથકના ૪૭ મધ્યાહન ભોજન કેન્દ્રો ૪ દિ'થી બંધ, ભૂલકાઓને પરેશાની

મેંદરડાઃ મધ્યાહન ભોજન યોજનામાં મેનુમાં થયેલા ફેરફાર, અપુરતા માનદ વેતન સહિતના વિવિધ મુદ્દે રોષ પ્રસરતા સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ મધ્યાહન ભોજન કેન્દ્રોને તાળા મારી દેવાયા છે, એવી જ રીતે મેંદરડા પંથકના ૪૭ કેન્દ્રોને પણ છેલ્લા ચાર દિવસથી 'તાળા' લાગી જતા નાના-નાના ભૂલકાઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સત્વરે યોગ્ય કરવામાં આવે તેવું સૌ સંચાલકો ઈચ્છી રહ્યા છે (તસ્વીર-અહેવાલઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:35 am IST)