Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જામજોધપુર તાલુકાની શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજનાં કેન્‍દ્રોમાં સંચાલક કુકની ભરતી

જામનગર, તા.૭: જામજોધપુર  તાલુકાના પાટણવાડી પ્રાથમિક શાળા, નાળીયરોનેશ પ્રાથમિક શાળા(બીજો પ્રયત્‍ન), ગીંગણી કુમાર પ્રાથમિક શાળા, રાજવડ પ્રાથમિક શાળા(બીજો પ્રયત્‍ન), ચિરોડ મુળુજી પ્રાથમિક શાળા, મેદ્યપર આંબરડી પ્રાથમિક શાળા, બોરીયોનેશ પ્રાથમિક શાળા, ગઢકડા પ્રાથમિક શાળા, પાનીયોનેશ પ્રાથમિક શાળા(બીજો પ્રયત્‍ન), મેદ્યપર પ્રાથમિક શાળા, સોરઝરનેશ પ્રાથમિક શાળા, વડાળીનેશ પ્રાથમિક શાળા -ગામોના જુના મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રો હાલમાં ચાલુ શૈક્ષણિક સત્રથી નિયત માનદવેતન દ્વારા કેન્‍દ્ર સંચાલક-કમ-કુકની નિમણુંક કરવાની થાય છે. ઉમેદવારો એસ.એસ.સી. પાસ લાયકાત ધરાવતા તથા વિધવા, ત્‍યકતા અને  ઉ.વ.૨૦ થી ૫૦ વર્ષની ઉમરમર્યાદા અને મધ્‍યાહન ભોજન યોજનાના અનુભવી તેમજ તંદુરસ્‍ત અને કોઇપણ ગુનાહિત કાર્ય કરેલ ન હોય તેમજ સરકારશ્રીના પરિપત્ર મુજબ પ્રથમ મહિલાઓ માટે અને સ્‍થાનિક ઉમેદવાર અથવા નજીકના કેન્‍દ્રની બાજુમાં રહેતા હોય તે વિસ્‍તારમાંથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં તમામ આધાર પુરાવા જેવા કે શૈક્ષણિક લાયકાત, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ તેમજ અનુભવનું પ્રમાણપત્ર તમામ પ્રમાણિત કરેલ કાગળો અરજી સાથે જોડવાના રહેશે.   

દિવસ-૧૦ માં કચેરીના કામકાજના સમય દરમ્‍યાન નિયત નમુનામાં અરજી પત્રક મામલતદાર કચેરી જામજોધપુર ખાતેથી ઉમેદવાર રૂબરૂ આવીને વિનામૂલ્‍યે લઇ અને અરજી કરવાની રહેશે તેમ મામલતદારશ્રી જામજોધપુરની યાદીમાં જણાવાયુ છે.

 

(10:44 am IST)