Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગોંડલમાં બાળ વૈજ્ઞાનિકોનું સન્‍માન

ગોંડલમાં  સરસ્‍વતી શિશુ મંદિર શાળા ખાતે રમન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ફાઉન્‍ડેશન દ્વારા જુલાઈ ૨૦૧૭ એ પી જે અબ્‍દુલ કલામ યજ્ઞની શરૂઆત થઇ હતી, એક વર્ષમાં વિદ્યાર્થીઓએ કરેલ જુદી-જુદી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તથા પરીક્ષાના આધારે બાળ વૈજ્ઞાનિક સન્‍માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કુલ ૨૦ વિદ્યાર્થીઓ ને તેમજ પ્રમાણ પત્ર થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય ગીતાબા જાડેજા ડો. ભરતભાઈ ચનિયારા (ઈસરો સાયન્‍ટિષ્ટ), ડો. ચંદ્રમૌલિ જોષી (ઓલ ઇન્‍ડિયા રામાનુજન મેથ્‍સ ક્‍લબ) રાજેન્‍દ્રસિંહ કારોબારી ચેરમેન ગોંડલ નગરપાલિકા સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંયોજક નમ્રતાબેન વૈષ્‍ણવ દ્વારા કરવામાં આવ્‍યું હતું, કાર્યક્રમમાં ટ્રસ્‍ટીઓ, વ્‍યવસ્‍થાપકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સન્‍માન કરવામાં આવ્‍યું તે તસ્‍વીર

(10:41 am IST)