Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

મોરબીના કારખાનામાં રમતા રમતા પડી જતા દોઢ વર્ષની બાળાનું મોત

ટંકારાના વાછકપરમાં વીજશોક લાગતા ખેતમજુરનું મોત

મોરબી, તા.૭: મોરબીના લાલપર નજીક આવેલ ઝેડ વિટ્રીફાઈડમાં દોઢ વર્ષની રવિના અનિલભાઈ સીસોદીયા કારખાનામાં રમતા રમતા પડી જતા તેને માથામાં ઈજા થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.  બીજા બનાવમાં ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં રહીને ખેતમજુરી કરતા નૈનસિંગભાઈ પુરજાભાઈ શિંગાળા (ઉ.વ.૨૧) વાળા ગઈકાલે વાડીએ ઇલેકિટ્રક મોટર ચાલુ કરતા ઇલેકિટ્રક શોક લાગતા તેનું મોત થયું ચેહ ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(1:32 pm IST)