Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ભચાઉ પંથકમાં ૧૫ વર્ષીય સગીરાનું અંજારના યુવાને અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

ભુજ તા  ૭  :  ભચાઉના નિલપર ગામે ૧૫ વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મ અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.ભોગ બનનાર સગીરાના પિતાએ અંજારના એક યુવાન અને તેના ભાઇ તેમજ પિતા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી છે.

ગત તા. ૨/૫/૧૯ થી ૩/૫ દરમ્યાન પોતાની ૧૫ વર્ષીય સગીર પુત્રીનું અંજારના મહેશ રામજી અખિયાણી, રાહુલ રામજી અખિયાણી, અને રામજી છગન અખિયાણીએ સાથે મળીને અપહરણ કર્યુ હતું. જયારે મહેશ રામજી અખિયાણીએ સગીરાને ગોંધી રાખી,  લલચાવી, ફોસલાવીને તેની સાથે બળજબરીથી  શરીર સંબધ બાંધીને દુષ્કર્મ આચર્યુ હતું. જોકે સગીરા તેમના કબજામાંથી નાસીને પરત ઘેર આવી ગઇ હતી અને પોતાના પરિવારજનોને વાત કરતા અંતે ત્રણેય શખ્સો વિરૂધ્ધ પોકસો સહિતની અલગ અલગ કલમો હેઠળ પોલીસ ફરીયાદ નોંધી સામખીયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)