Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જૂનાગઢની પરિણિતાનો પતિ સહિત સાસરિયાના ત્રાસથી આપઘાત

મૃતક મહિલાના પિતાની પોલીસમાં ફરીયાદ

જુનાગઢ, તા. ૭ : જુનાગઢના ઓધડનગરમાં રહેતા વિનય પોપટભાઇના પત્ની ઉર્મિલાબેન (ઉ.વ.૪૦) એ ગત તા. ૧રના રોજ પોતાની મેળે એસિડ ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.

જેમાં મરનાર મહિલાના જેતપુરના પેઢલા ગામે રહેતા પિતા અમરાભાઇ ઉર્ફે કાળાભાઇ દાનાભાઇ સારાખડાએ ઉર્મિલાબેનને પતિ વિનયભાઇ પોપટભાઇ, સાસુ પુનાબેન તેમજ લાભુબેન મોહનભાઇ અને વિજયા દિનેશભાઇએ દુઃખ ત્રાસ મરી જવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવતા જુનાગઢ બી-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ કે.કે. મારૂ ચલાવી રહ્યા છે.

ત્રાસ

જુનાગઢના વૃંદાવનગરમાં રહેતા કુસુમબેન કલ્પેશ પરમારને પતિ કલ્પેશ ડાયાલાલ પરમાર તેમજ સાસુ-સસરા અને નણંદે ત્રાસ આપી મારકુટ કર્યાની પોલીસ ફરીયાદ થઇ છે.

(12:10 pm IST)