Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

જામજોધપુર પાસે કરશનપર ગોપડી આશ્રમમાં આહિર સમાજનો વિશીષ્‍ટ વ્‍યકિતઓનો સન્‍માન સમારોહ

ઉપલેટા તા. ૭ : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કરશનપર ગામે ગોપડી (આદેશ આશ્રમ ખાતે સૌરાષ્‍ટ્રના આહિર સમાજમાં વિરાટ વ્‍યકિતત્‍વ ધરાવતા લોકોના એક સન્‍માન સમારંભનુ આયોજન આશ્રમના મહંત શ્રીયોગી લખમણનાથ બાપુના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવી રહ્યો છે.

મહંતશ્રી લાખમણનાથ બાપુએ જણાવેલ હતુ કે આહિર સમાજમાં જુદા જુદા ઉચ્‍ચ હોદાઓ ઉપર બેઠેલ વ્‍યકિતઓ પત્રકારો કેરળવણીકારો સમાજ સેવકોના એક સન્‍માન સમારંભ તા.૮ મી અને શનીવારના રોજ ગોપડી આશ્રમ ખાતે ેરાખવમાં આવેલ છે જેમા મોટા પ્રમાણમાં આહિર સમાજના લોક અને આશ્રમના ભકતો ઉપસ્‍થિત રહેશે તેમ યાદીમાં જણાવેલ હતું.

(10:41 am IST)