Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સુરેન્દ્રનગરમાં અગરિયા માટેની એક માત્ર બસ બંધ કરી દેવાતા આક્રોશ

વઢવાણ, તા.૭: સુરેન્દ્રનગર ડેપોમાં આખા દિવસમાં માત્ર એક બસ કે જે ખારાદ્યોઢા જતી હતી તે પણ બસ બંધ કરાતા રોષ દર્શાવાયો છે. રણના અગરિયા માટે માત્ર સુરેન્દ્રનગર આવા જવા માટે એક જ બસ હતી.

સુરેન્દ્રનગર ડેપોમાં પેસેન્જર દ્વારા બસ રોકી અને ડેપો મેનેજરને રજૂઆત કરતા વિદ્યાર્થી અનેે ખારાઘોઢાના લોકો એ સુરેન્દ્રનગર બસસ્ટેન્ડ પર આવીને વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી.

જામનગર સુરેન્દ્રનગર ખરાગોઢા બસ બન્ધ કરતા અનેક વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર બસસ્ટેન્ડમાં રજળી પડયા હતા. અનેક ગામો મા માત્ર આ અકેજ બસ લોકો ને જવા નો સહારો હતો તે બંધ કરતા લોકો સુરેન્દ્રનગર ડેપો મેનેજર ને બાન મા લીધા  હતા.

જયાં સુધી આ બસ શરૂ નહી થાય ત્યાં સુધી અમદાવાદ ની બસ પણ નહિ જવા દઈએ તેવી વિધાર્થીઓ દ્વારા માગ કરાઈ હતી. (૨૩.૧૧)

(12:35 pm IST)