Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ભાવનગરમાં પર્યાવરણ દિને રેલી નીકળી

ભાવનગરઃ વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત મ.ન.પા. દ્વારા ભાવનગરનાં શહેરી વિસ્તારમાં પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સંદર્ભે રેલી યોજાઇ હતી. મેયર શ્રીમતી નિમુબેન, કમિશ્નર એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. રેલી બેનર, પ્લેકાર્ડ થકી લોકોને પર્યાવરણ સ્વચ્છ રાખવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવવાના સંદેશા સાથે ઘોઘા ગેટ થઇને હલુરીયા ચોક શહીદ સ્મારક ખાતે પહોંચી હતી જે સ્થળે મહાનુભાવોએ પૂષ્પાંજલી અર્પી હતી. સૌએ પર્યાવરણને સ્વચ્છ રાખવા સમુહમાં પ્રતિજ્ઞા લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેલીમાં નાયબ મેયર મનહરભાઇ મોરી, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ, નાયબ મ્યુ. કમિ. એન. ડી. ગોવાણી સહિત મ.ન.પા.ના કોર્પોરેટરો, એન. જી.ઓ. શાળાના વિદ્યાર્થીઓ, મ.ન.પા.  સહિતની સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.

(11:50 am IST)