Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

સોમનાથ મંદિર પાસેથી અમદાવાદની ગુમ થયેલ યુવતી મળી

પ્રભાસ પાટણ તા. ૭: સોમનાથ મંદિર ખાતે ઘરેથી ગુમ થયેલ અમદાવાદની એક પ્રોઢ મહિલા યાત્રાએ આવેલ પરિવારના સગાને મળી આવતા વિખોટા પડેલા પરિવાર સાથે મીલન થતાં હર્ષના આંસુ સાથે ભાવભીનાં દ્રશ્યો સર્જાયા   હતા.

વિગત એમ છે કે અમદાવાદના કોચરબ-પાલડી એલીસ બ્રિજ વિસ્તારમાં રહેતા નિરૂબેન મનુભાઇ રાઠોડ ઉ.વ. ૬૦ ઘરેથી અચાનક ગુમ થયેલ હતાં જેથી તેનાં પરિવારે અમદાવાદ એલીસબ્રિજ પોલીસ મથકમાં ગુમ થયા બાબત પોલીસ ફરીયાદ રજીસ્ટર નં. ૨૪,૧૮ મુજબ નોંધાવેલ આમ, આ પ્રોઢ મહિલા તા. ૨૧-૫-૧૮ ના ગુમ થયેલ હતા.

તેવામાં અચાનક તા. ૬-૬ ના તેમના પરિવારનાં સોમનાથ-દ્વારકા દિવની યાત્રા પ્રવાસે આવેલ મનીષભાઇ રાઠોડ અને તેમના પત્ની દક્ષાબેન રાઠોડ સોમનાથ મંદિર પાસે ફરતા હતા તેવામાં ભિક્ષુકોની કતારમાં તેના પરિવારનાં ગુમ થયેલ મહિલા ને જોતા તેમણે સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ ઇન્સ. બી.એચ. ચોૈહાણ તથા રાઇટર દિલીપસિંહ રાઠોડ ને જાણ કરતા તેઓએ તરત જ અમદાવાદ તેમનાં પરિવાર તથા પોલીસને જાણ કરી વિખુંટા પડેલા પરિવાર સાથે સુખદ મીલન કરાવેલ. પરિવાર સાથે વોટ્સએપથી વાત કરાવી ગુમસુદા મામલાનો સફળ ઉકેલ કરાવેલ છે.

આ કાર્યમાં સોમનાથ ટ્રસ્ટનાં જીતુપુરી ગોસ્વામી, પોલીસ ઇન્સ. બી.એચ. ચોૈહાણ, રાઇટર દિલીપસિંહ રાઠોેડ એ સુંદર કામગીરી કરી આ પરિવારનું મિલન કરાવેલ.(તસ્વીર દેવાભાઇ રાઠોડ)

(11:44 am IST)