Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

વાંકાનેરના મકનસરમાં કારખાનાના છાપરા પરથી પડી જતા યુવાનનું મોત

વાંકાનેર, તા. ૭ : વાંકાનેરના મકનસરમાં આવેલા સીરામિક કારખાનાના પતરા પરથી પડી જતા મુસ્લિમ યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ વાંકાનેર સીટી સ્ટેશન પાસે રહેતા હુશેનમીયા નજીરમીયા ફકીર (ઉ.વ.ર૪) નું વેનીસ સિરેમિકસમાં મકનસર ખાતે સિરેમિકસના છાપરાનું કામ કરી રહ્યા હતાં. ત્યારે છાપરૂ તૂટી જતા હુશેનમીયા નીચે પટકાતા તેના માથા ઉપર ગંભીર ઇજા થતાં ગઇકાલે પ્રથમ મોરબી ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થતા તેના બે બાળકો પિતા વિહોણા થઇ ગયા છે. મરણ જનાર સિરેમિકમાં લાંબા સમયથી મજુરી કામ કરતા હોઇ, સિરેમિકસના મેનેજર પણ તાત્કાલીક હોસ્પિટલે પોતાની કાર મારફત સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં તેનું મોત નિપજયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)